by Admin on | 2023-08-28 12:02:11
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 25
સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે
સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ અને આઝાદીની લડતમાં અમૂલ્ય યોગદાન આપનારા રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીની 127મી જન્મજયંતિ
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ એટલે રાણપુર, ક્રાંતિકારી લડતમાં અમૂલ્ય યોગદાન આપનાર સૌરાષ્ટ્રના સૌપ્રથમ દૈનિક "સૌરાષ્ટ્ર" એટલે કે આજના ફૂલછાબની જન્મભૂમિ એટલે રાણપુર. બોટાદ જિલ્લા સાથે શ્રી ઝવેરચંદ મેઘાણીના સંસ્મરણો બેજોડ રીતે સંકળાયેલા છે.

રાણપુરમાં એક લીમડાના વૃક્ષ હેઠળ બેસી શ્રી ઝવેરચંદ મેઘાણીએ અનેક શોર્યગીતો અને આઝાદી માટે જોમ અને જુસ્સો જન્માવતાં લેખો લખ્યાં હતા. આ જ ગામનાં સ્મશાનમાં બેસી આઝાદીના લડવૈયાઓએ સ્વતંત્રતા મેળવવા પોતાની આહુતિ આપી દેવાનાં શપથ લીધા હતા. અહીંથી જ સૌરાષ્ટ્ર અખબારના સ્થાપક અમૃતલાલ શેઠ અને તેમની સાથેના ક્રાંતિવીરોએ સત્યાગ્રહનો આરંભ કર્યો હતો. રાણપુર ખાતે કાર્યરત ખાદી ગ્રામોદ્યોગ ભંડાર આજે પણ આ ગામનાં ભવ્ય ભૂતકાળની પ્રતીતિ કરાવે છે. રાણપુર ખાતે પૂજ્ય ગાંધીજી, એ.ડી.શેઠ અને ઝવેરચંદ મેઘાણીએ સાથે મળીને સ્વતંત્રતા મેળવવા માટેની ચર્ચાઓ કરી હતી.

શ્રી ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યનાં વિવિધ રૂપોમાં, ઊર્જાપૂર્વક અને વેગપૂર્વક એટલું બધું લખ્યું કે એકવાર ઉમાશંકર જોશીએ એમને એક પત્રમાં લખેલું કે ‘આટલીક જિંદગીમાં તમારે હાથે લખાયેલાની નકલ કરતાં પણ બીજાની તો કેટલીય જિંદગી ચાલી જાય.’ શ્રી મેઘાણી ‘યુગવંદના’(1935)થી, ‘આગેકદમ’ અને ‘છેલ્લો કટોરો’ જેવાં કાવ્યોથી ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામ્યા હતા. મેઘાણીએ બહુ મોટા પાયા પર, કવિતા-વાર્તા-નવલકથા-ઇતિહાસ-પત્રકારત્વનાં લખાણો/પુસ્તકોનાં અનુવાદો-રૂપાંતરો આપ્યાં છે ને જીવનભર નિતાન્ત લેખક રહ્યા છે. ઝવેરચંદ મેઘાણી રચિત કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા, આષાઢી સાંજનાં અંબર ગાજે જેવી અનેક રચનાઓ આજે પણ લોક હૈયે છે.
ત્યારે આવા મહાન વિભૂતી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 127મી જન્મજયંતી નિમિત્તે તેમને શત શત નમન..
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ