GUJARAT BOTAD

સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર

by Admin on | 2023-04-26 16:24:08

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 185


સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર

બોટાદ તાલુકાનાં કાનિયાડ ગામના વતની રાજેશભાઇ પરમારે બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અધિકારીશ્રીઓ સમક્ષ પોતાના કાનિયાડ ગામના સ્મશાનનો પ્રશ્ન તેમજ પોતાનો વ્યક્તિગત પ્લોટ ફાળવણીનો પ્રશ્ન રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, “તાલુકા સ્વાગત કાર્યક્રમમાં એક જ સ્થળ પર તમામ વિભાગનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત હોય પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ મળી રહે છે. સરકારશ્રી દ્વારા અમલી “સ્વાગત” ખૂબ જ સારો કાર્યક્રમ છે” તેમ જણાવી રાજેશભાઇએ ઉમેર્યું હતું કે, “તાલુકા સ્વાગત કાર્યક્રમમાં તમામ અધિકારીશ્રીઓએ મારી રજૂઆતને સાંભળી તેના નિરાકરણ માટે સંબંધિત કચેરીઓને સૂચના આપવામાં આવી હતી તેમજ મને પૂરતું માર્ગદર્શન પણ મળ્યું હતું, સરકારશ્રીની આ યોજનાથી હું ખૂબ જ પ્રભાવિત છું.”

રાજ્યનાં નાગરિકો સાથે સંવાદ સ્થાપિત કરવા માટે વહીવટીતંત્ર અને નાગરિકો વચ્ચે કડીરૂપ બનેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઘર આંગણે જ સમસ્યાનું સુખદ નિરાકરણ આવતાં અરજદારોએ સરકારશ્રીની આ વિશેષ કામગીરી બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો.

Search
Recent News
Top Trending

Leave a Comment