GUJARAT BOTAD

બોટાદના મુસ્લિમ યુવકનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત - બોટાદ ના ત્રણ પોલીસ કોન્સ્ટેબલે વિના વાંકે ઢોર માર માર્યાનો આક્ષેપ

by Admin on | 2023-05-14 17:12:07

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 2016


બોટાદના મુસ્લિમ યુવકનું  અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત - બોટાદ ના ત્રણ પોલીસ કોન્સ્ટેબલે વિના વાંકે ઢોર માર માર્યાનો આક્ષેપ

સમાજ અને પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વિકાર વાનો ઇનકાર 

સમાજ અને પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વિકાર વાનો ઇનકાર 

હાઇકોર્ટ દ્વારા બોટાદ જિલ્લા પોલીસવડા ને તપાસના આદેશો અપાયા

બોટાદ પોલીસ સ્ટેશનમાં ડીસ્ટાફમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓએ બોટાદના મુસ્લિમ મજૂર યુવકને વગર વાકે ઢોર માર મારતા  મજૂર યુવકને મગજ માં હેમરેજ થઈ ગયેલ અને તે કોમામાં સરી પડતા ઇજાગ્રસ્ત મુસ્લિમ યુવકને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન મુસ્લિમ યુવકનું મોત નીપજતા સમાજ અને પરિવારજનો દ્વારા આ પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી અને મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કરાયો હતો.


      બનાવ અંગેની વિગત પ્રમાણે, ગત-૧૪ એપ્રિલના બોટાદ શહેરના હરણકુઈ વિસ્તારમાં રહેતા કાળુભાઈ ઉસ્માનભાઈ પાધરસિંહ (ઉવ- ૨૬.આ) પોતાનું મિસ્ત્રી કામ પતાવી ઘરે આવતા હતા ત્યારે ત્રણ પોલીસ કોન્સ્ટેબલોએ તેને બોલાવી કહેલ કે આ મોટરસાયકલ ફેરવે છે તે કોનું છે. જેથી કાળુભાઈ એ કહેલ કે આ મોટર સાયકલ મારૂ છે. જેથી તેની આર.સી .બુક અને બીજા કાગળો ક્યાં છે. તેમ પૂછતા કાળુભાઈ જણાવેલ કે તમે કોણ છો. જેથી જણાવેલ કે અમો પોલીસમા છીએ હુ પોલીસ કોન્સ્ટેબલ આલ્કુભાઈ, આ રાહિલભાઈ અને નિકુલભાઇ છે. જેથી કાળુભાઈ એ તેઓનું આઈ.ડી. બતાવો તેમ કહેતા એકદમ ગુસ્સે ભરાઈ જઈ પોલીસ સ્ટેશનને લઈ જઈ કોઈપણ ગુના વિના ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. ઈજા ગ્રસ્ત કાળુભાઈ ને પ્રથમ બોટાદ ની વડો દરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલ. જ્યાં વધુ સારવારની જરૂરિયાત હોવા થી ભાવનગર ખાતે રિફર કરેલ અને ૨૦ એપ્રિલ ના કાળુભાઈ ને સિવિલ હોસ્પિટલમાં રિફર કરેલ  તેવા આક્ષેપ સાથે બોટાદ મુસ્લિમ સમાજ દ્વારા જવાબદાર પોલીસ કોન્સ્ટેબલો વિરુદ્ધ ખાતા કીય તપાસ કરી સસ્પેન્ડ કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવા ની માંગ સાથે જિલ્લા કલેકટર , બોટાદ એસ.પી. અને બોટાદ પી.આઇ સહિતના ને એક લેખિત આવેદનપત્ર  પાઠવાયુ હતુ. તેમજ ગુજરાત હાઇકોર્ટમાં આ બાબતે અરજી પણ કરાઈ હતી અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા જિલ્લા પોલીસવડાને તપાસના આદેશો અપાયા હતા.

          ઇજાગ્રસ્ત કાળુભાઈ પાધરસિહ નુ એક માસની સારવાર દરમિયાન અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે મોત નિપજતા મુસ્લિમ સમાજ ના આગેવાનો અને પરિવારજનો દ્વારા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી કરવા અને ન્યાય આપવવા ની માંગ સાથે મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કરાયો હતો.

Search
Recent News
Top Trending

Leave a Comment