GUJARAT BOTAD

બોટાદ જિલ્લાના બાળવૈજ્ઞાનિકોએ જિલ્લા કક્ષાએ સંશોધન રજૂ કર્યા

by Admin on | 2023-09-28 13:43:06

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 62


બોટાદ જિલ્લાના બાળવૈજ્ઞાનિકોએ જિલ્લા કક્ષાએ સંશોધન રજૂ કર્યા

ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ & ટેકનોલોજી -ગુજરાત સરકાર ના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર ના સહયોગથી શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બોટાદ દ્વારા જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળવિજ્ઞાન પરિષદ-૨૦૨૩ યોજાય


જેમાં ઉદ્ઘાટન સમારોહમાં સંસ્થાના ડાયરેક્ટર શ્રી માધવ સ્વરૂપદાસજી સ્વામી, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અમરેલી ના કોર્ડીનેટર શ્રી નિલેશભાઈ પાઠક, શ્રી સ્વામિનારાયણ બી.એડ કોલેજના આચાર્યશ્રી અશ્વિનભાઈ મેઘાણી, સહજાનંદ હાઇસ્કુલ ના આચાર્યશ્રી કમલેશભાઈ મહેતા, પ્રેમ રાધા પ્રાથમિક વિદ્યાલય ના આચાર્યશ્રી ધીરુભાઈ મેણીયા, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બોટાદના કોર્ડીએટર શ્રી નિકુંજભાઈ પંડિત, એકેડમી કોઓર્ડીઁનેટર શ્રી કાળુભાઇ ભોહરીયા, પ્રો.ઇન્ચાર્જ ભાવેશભાઈ થડોદા, ભરતભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા,


રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ 2023 અંતર્ગત બાળ વૈજ્ઞાનિકો દ્વારા કોઈ સ્થાનિક પ્રશ્નોનું વૈજ્ઞાનિક અભિગમથી નિરાકરણ મેળવવાનું હતું જેમાં બાળ વૈજ્ઞાનિકોએ સંશોધન ક્ષેત્રે આગળ વધી જિલ્લા કક્ષાએ પોતાનું સંશોધન રજૂ કર્યું જેમાંથી 10 સંશોધન આગામી માસમાં રાજ્ય કક્ષાએ રજૂ થશે અને જિલ્લા કક્ષાએ કુલ 147 જેટલા સંશોધન રજૂ થયા હતા અને આમ બોટાદ જિલ્લાની જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ દ્વિદિવસીય ચાલી હતી


Search
Recent News
Top Trending

Leave a Comment