GUJARAT BOTAD

બોટાદ બસ સ્ટેશન ખાતે “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઇનનો” પ્રારંભ કરાવતાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જેઠીબેન પરમાર

by Admin on | 2023-12-02 12:21:13

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 120


બોટાદ બસ સ્ટેશન ખાતે “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઇનનો” પ્રારંભ કરાવતાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જેઠીબેન પરમાર

મુસાફરોને કચરો કચરા પેટીમાં નાખવા, બસ સ્ટેન્ડમાં કચરો ન ફેંકવા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીની અપીલ


 જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જેઠીબેન પરમારે બોટાદ બસ સ્ટેશન ખાતેથી “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઇન-૨૦૨૩”નો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ એસ.ટી.બસમાં બેઠેલા મુસાફરોને કચરો કચરા પેટીમાં નાખવા, બસ સ્ટેન્ડમાં કચરો ન ફેંકવા અપીલ કરી હતી.


          શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઇનના પ્રારંભે પ્રમુખશ્રીએ “કચરો કચરા પેટીમાં નાખવો” જેવા સૂત્રો વાળા સ્ટીકર બસમાં લગાવીને “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા”નો સંદેશ પુરો પાડ્યો હતો. 


            ભાવનગર વિભાગીય ડેપ્યુડી એન્જીનિયરશ્રી કે.ડી.નાયકે જણાવ્યું હતું કે, નિગમની સ્વચ્છતા અંગેની છબી સુધારવા તેમજ મુસાફર જનતા પણ આ કેમ્પેઇનનો ભાગ બને અને સ્વચ્છતા કેમ્પેઇનનો સંદેશ મહત્તમ લોકો સુધી પહોંચાડી શકાય તે હેતુસર “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઇન-૨૦૨૩” અભિયાનનો પ્રારંભ કરાયો છે. બસ સ્ટેન્ડમાં તેમજ બસમાં બેઠેલા મુસાફરો કચરો કચરા પેટીંમા નાખી શકે અને બસને ચોખ્ખી રાખી શકે તે માટે તમામ બસ સ્ટેશન અને બસોમાં  કચરા પેટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહેલ છે. લોકભાગીદારી થકી બસ સ્ટેન્ડ અને બસને ચોખ્ખી રાખીને “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઇન"ને સાચા અર્થમાં સાકાર કરવાં અનુરોધ કર્યો હતો.


        બોટાદ ખાતે  ડીઈશ્રી કેયુર નાયક, ઈન્ચાર્જ ડેપો મેનેજરશ્રી સાજીદભાઈ સહિત એસ.ટી.વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મુસાફરો ઉપસ્થિત રહ્યાં હતાં. 

Search
Recent News
Top Trending

Leave a Comment