GUJARAT AMRELI

સાવરકુંડલા ખાતે વીરજી ઠુમ્મરનો પૂતળાદહન કાર્યક્રમ અને આવેદનપત્ર પાઠવાયું

by Admin on | 2023-12-23 15:53:17

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 73


સાવરકુંડલા ખાતે વીરજી ઠુમ્મરનો પૂતળાદહન કાર્યક્રમ અને આવેદનપત્ર પાઠવાયું

કોંગી નેતા ઠુમ્મરના અવિવેકી શબ્દપ્રયોગ સામે કસવાળા ક્રોધિત

 

કોંગી નેતા વીરજી ઠુમ્મરના જાહેર ભાષણમાં પ્રધાનમંત્રીશ્રી નું નામ લઈને અશોભનીય ભાષા પ્રયોગ કરવા સામે ભાજપમાં રોષ ફાટી નીકળ્યો છે ને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું અપમાન નહિ પણ દેશના 140 કરોડ ભારતીયો નું અપમાન કર્યું હોય તે અંગે કોંગ્રેસ માફીની માંગ સાથે વીરજી ઠુમ્મર અને કોંગ્રેસના સંસ્કૃતિ વિહોણા કલ્ચરનો પ્લે કાર્ડ સાથે પદયાત્રા કરીને વીરજી ઠુમ્મરના પૂતળાં દહન કાર્યક્રમ બાદ પ્રાંત કલેકટરને આવેદનપત્ર પાઠવીને ધારાસભ્ય મહેશ કસવાળાએ  કાયદેસરના પગલાં ભરવાની માંગણી કરેલ છે ગઇકાલે કોંગ્રેસની એક સભામાં દેશની સંસ્કૃતિ અને દેશની આન બાન અને શાન સમાનના પ્રધાનમંત્રીશ્રી ના ગરીમાવંત પદ વિશે અશોભનીય અને અવિવેકી ભાષા પ્રયોગ સામે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે


ત્યારે આજે સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાળાની અધ્યક્ષતામાં નાવલી નદીના રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે કોંગ્રેસ અને વીરજી ઠુમ્મર માફી માંગે તેવા સ્લોગનો સાથે પદયાત્રા કરીને કોંગ્રેસ સામે સૂત્રોચાર કરીને દેશની ગરીમા સમાનના પદ અને ભાજપના મહિલા નેતા વિશે હલકી ભાષામાં ટિપ્પણી કરનાર વીરજી ઠુમ્મર સામે ભારોભાર રોષ ભાજપના કાર્યકર્તાઓમાં જોવા મળ્યો હતો ને પૂતળાં દહન કરે તે પહેલાં પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી 


Search
Recent News
Top Trending

Leave a Comment