GUJARAT BOTAD

અમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવાથી અમારે કોઇની પાસે હાથ લંબાવવાની જરૂર પડશે નહી

by Admin on | 2024-01-02 13:45:24

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 113


અમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવાથી અમારે કોઇની પાસે હાથ લંબાવવાની જરૂર પડશે નહી

 કેન્દ્ર સરકારની ૧૭ જેટલી વિવિધ યોજનાઓનો લાભ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મળી રહે તે ઉદ્દેશ સાથે આજે બોટાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલી સરકારી હાઇસ્કૂલ ખાતે વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આયુષ્માન કાર્ડના લાભાર્થી શ્રીમતી રેખાબેન તાવિયાએ પોતાનો સુખદ પ્રતિભાવ આપતાં કહ્યું કે, સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે જે યોજનાઓના લાભ થકી લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે પરંતુ સરકારશ્રીની આયુષ્યમાન કાર્ડ યોજના અને લોકોના જીવનમાં દેવદૂત બનીને આવી છે. વધુમાં તેમણે કહ્યું કે, અમારા પરિવારમાં અમે છ સભ્યો રહીએ છીએ, અમારી આવક પણ ઓછી છે એટલે જ્યારે અમારા પરિવારમાં કોઇ બીમાર થશે તો અમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવાથી અમારે કોઇની પાસે હાથ લંબાવવાની જરૂર પડશે નહી. અમારી મુશ્કેલીને સરકારે  પોતાની મુશ્કેલી સમજીને અમને આષ્યુષ્માન કાર્ડ પુરું પાડ્યું હોવાથી અમે સરકારના આભારી છીએ.

Search
Recent News
Top Trending

Leave a Comment