by Admin on | 2024-02-10 15:44:09
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 101
પરમ ઉપકારી પૂજય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી પ્રેરિત શ્રી દિગમ્બર સ્વાધ્યાય મંદિર-બોટાદ દ્વારા સોનગઢ મધ્યે શ્રી બાહુબલી મુનીન્દ્ર-જમ્બુદ્વીપ ની કુલ-140 જિનેન્દ્ર ભગવાન ની ભવ્ય પ્રતિષ્ઠા ની મંગલ ખુશાલી નિમીત્તે બોટાદ જિલ્લા આરોગ્ય કેન્દ્ર ની પ્રેરણા થી ટીબી ના દર્દી ને કરીયાણા કિટ વિતરણ આજ રોજ તા-10-2-2024 ને મહા- સુદ -1- બેસતો મહિનો શનિવાર ના મંગલ દિવસે સવારે -10-00 કલાકે દાતાશ્રી ના આથીઁક સહયોગ થી દિગમ્બર જૈન મંદિર ની વાડી એ આપવામાં આવેલ
આ પ્રસંગે બોટાદ જિલ્લા આરોગ્ય કેન્દ્ર ના ડો.અખિલેશ સિંગ સાહેબ RCHO તથા પ્રેરણા સ્ત્રોત સાહેબ શ્રી દુષ્યત ત્રીવેદી DUPC તથા વિજયભાઈ ડેરવાળીયા DPC તથા સ્ટાફ મેમ્બર અને કરીયાણા કિટ ના લાભાર્થી દર્દી ઓ હાજર રહેલા અને સૌપ્રથમ પૂજય કહાન ગુરુદેવશ્રી નું માંગલીક મુકી ક્રાયઁક્મ નો પ્રારંભ કરેલ, મહાનુભાવો એ દિપ પ્રાગટય કરી કિટ વિતરણ કરેલ, આ ક્રાયઁક્મ ને સફળ બનાવવા દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ના ટ્રસ્ટીશ્રી તથા મુમુક્ષુ કાર્યકરોએ જહેમત ઉઠાવેલ અને સફળ બનાવેલ.