by Admin on | 2024-12-08 14:25:37
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 226
ગુજરાતમાં ખેતીના ઉત્પાદનને વધારવા, નવીન તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખેતી ખર્ચ ઘટાડી ખેડૂતોની આવક વધારવા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૫-૦૬માં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાના તમામ ૪ તાલુકામાં દ્વિદિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪નો યોજાયો હતો. બરવાળા તાલુકામાં એ.પી.એમ.સી. ખાતે આગેવાનોની ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો.
કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ કૃષિ વિષયક યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્ર તેમજ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ કૃષિ યોજનાઓના મંજૂરીપત્રો અને સહાય હુકમોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં બાગાયત શાખા, પશુપાલન શાખા, આરોગ્ય શાખા, ગુજરાત રાજ્ય બીજ નિગમ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિ., ગુજરાત રાજ્ય ફર્ટીલાઇઝર કોર્પોરેશન, ઇફ્કો, કિસાન ક્રેડિટ કાર્ડ, આઇ.સી.ડી.એસ., જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિતના વિવિધ સ્ટોલનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.